મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
પકડ્યો વચનનો વિશ્વાસ રે,
ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં
થઈ બેઠાં સદગુરુના દાસ રે ... મેદાનમાં
સાન સદગુરુની જે નર સમજ્યો,
તે અટકે નહીં માયા માંહ્ય રે,
રંગરૂપમાં લપટાય નહીં
જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં
તે અટકે નહીં માયા માંહ્ય રે,
રંગરૂપમાં લપટાય નહીં
જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં
રહેણીકરણી એની અચળ કહીએ
એ તો ડગે નહીંય જરાય રે,
વચન સમજવામાં સદાય પરિપુર્ણ
તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં
એ તો ડગે નહીંય જરાય રે,
વચન સમજવામાં સદાય પરિપુર્ણ
તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં
સોઈ વચન સદગુરુજીના ઘરના,
ગમ વિના ગોથાં ખાય રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,
વચન ન સમજ્યા નરકે જાય રે ... મેદાનમાં ....
ગમ વિના ગોથાં ખાય રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,
વચન ન સમજ્યા નરકે જાય રે ... મેદાનમાં ....
ભજન સાર :-
માં ગંગા સતી પાનબાઈ ને બોધ પાઠ દ્વારા શીખામણ આપે છે , મેદાનમાં જેણે મોરચો માંડયો છે , અને રાખ્યો છે વચનમા વિશ્વાસ , જેણે પરિ પુર્ણ વચનનો અનુભવ કરી લીધો છે અને વચનને જાણી લીધું છે , વચન પર વિશ્વાસ રાખીને તેઓ સન્મુખ મોરચો માડી લક્ષ સાધી બેસી ગયા છે એમણે ચૌદ લોકમા અભય પદને પ્રાપ્ત કરી લીધું છે , ભય મુક્ત થઈ ગયા છે ત્રણેય લોક માં કોઈના થી બીતા નથી જેમ છે તેમ સત્ય કહી દીએછે કોઈનો પક્ષા પક્ષી લેતા નથી સતગુરુ નાં દાસ થઈને બેઠા છે સાન સદગુરુની જે સંતો સમજી ગયા છે મોહ માયાના બંધનમાં બંધાતા નથી કોઇ રંગ રુપ માં ભટકતાય નથી લપટા નથી તેઓની માથે સદગુરુની છત્રછાયા મળી ગઈ છે રહેણી કહેણીમાં સાચાં અડગ થઈને ઉભા છે જરાય રતીભાર ડગ્યા ડગતા નથી વચન સમજવા માં પરીપૂર્ણ છે કાળ કોઈ દિવસ તેને ખાય સકતો નથી આ વચન સદગુરુ ના ઘરનુ છે એ વચન ગુરુના ઉપદેશથી જેણે જાણ્યું છે પરીપૂર્ણ સદગુરુ વચનમાં વિશ્વાસ રાખ્યો છે જેઓને સદગુરુ મીલન ની તાલાવેલી છે કાયમ સત વચનમાં ધરીને બેઠા છે એ સંતો ને ભીતરમાં ગમ અગમ પ્રગટ થયો છે એણે સદગુરુ વચન જાણ્યું છે માણ્યું છે આ વચન જે લોકો નથી સમજ્યા એ નક્કી નરકે જાયછે ગંગા સતી સહી કરી ગયા છે.
માં ગંગા સતી પાનબાઈ ને બોધ પાઠ દ્વારા શીખામણ આપે છે , મેદાનમાં જેણે મોરચો માંડયો છે , અને રાખ્યો છે વચનમા વિશ્વાસ , જેણે પરિ પુર્ણ વચનનો અનુભવ કરી લીધો છે અને વચનને જાણી લીધું છે , વચન પર વિશ્વાસ રાખીને તેઓ સન્મુખ મોરચો માડી લક્ષ સાધી બેસી ગયા છે એમણે ચૌદ લોકમા અભય પદને પ્રાપ્ત કરી લીધું છે , ભય મુક્ત થઈ ગયા છે ત્રણેય લોક માં કોઈના થી બીતા નથી જેમ છે તેમ સત્ય કહી દીએછે કોઈનો પક્ષા પક્ષી લેતા નથી સતગુરુ નાં દાસ થઈને બેઠા છે સાન સદગુરુની જે સંતો સમજી ગયા છે મોહ માયાના બંધનમાં બંધાતા નથી કોઇ રંગ રુપ માં ભટકતાય નથી લપટા નથી તેઓની માથે સદગુરુની છત્રછાયા મળી ગઈ છે રહેણી કહેણીમાં સાચાં અડગ થઈને ઉભા છે જરાય રતીભાર ડગ્યા ડગતા નથી વચન સમજવા માં પરીપૂર્ણ છે કાળ કોઈ દિવસ તેને ખાય સકતો નથી આ વચન સદગુરુ ના ઘરનુ છે એ વચન ગુરુના ઉપદેશથી જેણે જાણ્યું છે પરીપૂર્ણ સદગુરુ વચનમાં વિશ્વાસ રાખ્યો છે જેઓને સદગુરુ મીલન ની તાલાવેલી છે કાયમ સત વચનમાં ધરીને બેઠા છે એ સંતો ને ભીતરમાં ગમ અગમ પ્રગટ થયો છે એણે સદગુરુ વચન જાણ્યું છે માણ્યું છે આ વચન જે લોકો નથી સમજ્યા એ નક્કી નરકે જાયછે ગંગા સતી સહી કરી ગયા છે.
જય ગુરૂદેવ
0 comments:
Post a Comment