સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય...ટેક
જેમ રવિ રવિ કહો રજેની ન ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય;
રવિ ઉગ્યા જેને જ્ઞાનનાં, એણી વદે અજવાળા હોય...સત્સંગ.
રવિ ઉગ્યા જેને જ્ઞાનનાં, એણી વદે અજવાળા હોય...સત્સંગ.
જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહિં ભૂખ;
રામ રસ પીધે તૃષા તુરત ટળે, એણી વદે મુક્તિ પણ હોય...સત્સંગ
રામ રસ પીધે તૃષા તુરત ટળે, એણી વદે મુક્તિ પણ હોય...સત્સંગ
સો સો મણ અગ્નિ લખો કોરે કાગળે, તેને લઈ રૂ માં અલપાવો;
ર્આગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવકે જલી જાય....સત્સંગ
ર્આગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવકે જલી જાય....સત્સંગ
સમજણ વિના સાધન શું કામ નું ? જ્યાં સુધી જીવપણું ન જાય;
કહે મુળદાસ સંત સમજ્યા ખરાં, ગુરૂ વિના મુક્તિ નવ થાય...સત્સંગ
કહે મુળદાસ સંત સમજ્યા ખરાં, ગુરૂ વિના મુક્તિ નવ થાય...સત્સંગ
જય ગુરૂદેવ
0 comments:
Post a Comment