ads top

આધ્યાશક્તિ એટલે શું?અષ્ટાંગી માયા એટલે શું?શક્તિ એટલે શું?


આધ્યાશક્તિ એટલે શું?
અષ્ટાંગી માયા એટલે શું?
શક્તિ એટલે શું?
શક્તિ વગરનું અસ્તીત્વ  ખરુ?
પણ ખરી શક્તિ કઇ તેને જાણી
આદીઅનાદિની શક્તિ છે તેજ શક્તિકુંજ છે તે જ શબ્દ છે. તે જ સોહમ સર્જન શક્તિ છે અને તેજ અનામી છે.
અંધુકાર ધંધુકારમાં કબીર કહેછે મને કાઇ ન સુજ્યું
જયારે જગત આખું શૂન્યમય હતું ત્યારે માત્ર પરમ તત્વ એક જ વિલસી રહ્યું હતું જે આધ, અંત અને મધ્યમાં પણ છે.
શૂન્યમાંથી બ્રહ્મનો વિસ્ફોટક શબ્દનો ગુંજારવ થયો..
સદગુરુના દેશથી અક્ષર થયો તે જ અક્ષરની માહે ઓમકાર અને બ્રહ્માજીએ વેદ રચ્યા
આ જગત પરમતત્વથી વિલસી રહ્યું હતું ત્યારે સર્વ પ્રથમ નિરંજન પ્રકટ થયા નિરંજનનું બીજુ રુપ એટલે કાળ (મન) થયો
નિરંજને શક્તિ પ્રગટ કરી અને નિરંજને અને શક્તિએ સમાગમ કર્યોને ત્રણ દેવ પ્રગટ કિન્હા
ત્રણ દેવ એટલે રજો, સતો અને તમો ગુણ.
આ શક્તિ ત્રીગુણી માયા છે જે અષ્ટાંગી એટલે કે આઠ અંગ વાળી માયા છે.
જગત આખુ શિવ અને શક્તિથી ચાલે છે. આ દેહ પણ શક્તિથી ચાલે છે શક્તિ વગર કશું શક્ય નથી
પણ શક્તિને કોઇ સ્ત્રીમાં કે પુરુષમાં ખપાવવી એ મોટી ભૂલ છે શક્તિ એ પરમ ચેતન શક્તિ છે જે સ્વયં સ્વચલાયમાન, શક્તિમાન છે.
શક્તિ ઉપાસનાની વાતું કરવા વાળા
પોતાની માતા, બહેન, પત્નિને કોઇ દિવસ આદર આપો છો ખરા?
માટે જ સાચી શક્તિને ઓળખી લો તો બીજી સઘળી માથાકૂંટમાંથી છુટકારો મળી જાય..
બીજ બુંદ એ શક્તિ છે. જનેતા એ કુળદેવી છે. એક બુંદમાંથી બીબાનું સર્જન થાય છે તેને ગર્ભમાં ધારણ કરી પાલન પોષણ કરી આ કૂળદેવીએ નવ મહિના જતન કરી જન્મ આપ્યો..
માટે સાચી કૂળદેવીની ઓળખાણ કરી લે..
માટે કબીર સાહેબ કહે છે...
એક ભૂવોને બીજો ભૂવો
ભૂવા અઢાર લાખ હુવા
સાચી માતાની ભાળ ન કીન્હી
ધુણી ધુણીને મૂવા
કબીર સાહેબે તેમ પણ કહ્યું કે જેનાથી આ આધ્યશક્તિની ઉત્પતિ થઈ છે તેને જ પુંજી લે
હાથીના પગમાં બધાના પગ આવી જાય માટે સર્વનો કર્તા એકને જાણી લે..
કોઇ પુંજત હૈ શિવને શક્તિ
કોઇ પીયુકો જગાયા રે
વિરલા ખોજત ગગન મંડળમૈ
ગાફીલ ગોથા ખાય રે..
જે લોકોને સાચું જ્ઞાન નથી તેવા લોકો માયાને બ્રહ્મ જાણી બેઠા છે
માયાતો અતિ ઠગીની ગમે તે રુપમાં આવી ડંખી જાય તેમ છે.
માટે
દાદા મેકરણે તો કહ્યું...
કૂળદેવીસે કુતરી ભલી
જટ દઇને જગાડે
બેઠી દેવ બોલે નહીને
ઓલી ભસીને બગાડે..
જે દેવળ મંદિરમાં દેવી દેવતા હોવા છતા તેના પર વિશ્વાસ ન રાખતા તે દેવળને તાળું મારી તાળા પર વિશ્વાસ.કરે છે માટે તાળું મારે છે તો આટલામાં સમજી જાવું જોઇએ.
અખો ભગત કહે છે. . .
સજીવાએ સર્જ્યો નિર્જીવ વા ને પછી કે મને કંઇક દે
અખો કે તારી એક ફુટી કે બેય
હૈ મનવા જેણે તે બનાવ્યો માટીના પુતળાને અને તેની પાસે પાછો તું નો તું માંગે છે
મને  એ જોઇને   હસવું  હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે !
-ગઝલ સમ્રાટ શાયદા.
હવે જેને આપણને બનાવ્યા તેને વળી પાછા માટીનું પુતળું બનાવીને આપણે બનાવ્યા અને આ જીવતા જીવને છોડી આ નિર્જીવ પાસે છપનીયા ભોગ ધર્યા ત્યારે
ગોરખનાથ કહે છે...
મંછા માલણી રે ગોરખ જાગતા નર સેવ
જાગતા નર સેવ તને મળે નુરીજન દેવ
સેવ સુંવાળી લાપછીને ધરી દેવની પાસ
જમનારો તો જમી ગયોને દેવને ના  આવી વાસ રે..
માટે આવા તાયફા ભોગ, પ્રસાદી, છપ્પન ભોગનો નાશ ન કરો પણ કોઇક ગરીબના પેટ ઠારો.
ભોજા ભગત કહે છે. . .

જેના પુરવ ના પાપ જાગે રે..
એના ઘરમાં ડાકલા વાગે ..
ધુણી ધુણી ને કરે ધીગાણા
         લીલા નારીયેર માંગે..
     ભુવા પાખંડી ભેળા થઇ ને.
         લાગ જોઈને લાકડુ ભાગે રે
ખોળા પાથરે ને પગેલાગે.
          વેમના ડાકલા વાગે..
    ઉકરાતા ઑતારના લઇ ને.
         માતાના ખમંકારા માગે રે.
માદા પડેને માનતા રાખે.
         ધરાય નહિ દોરા ધાગે..
   દવા ન લીયે ને દાણા જોવે.
          વાસા વધાવા માગે...એના
સમજણ નો એને સાટો ન લાગે
         ભડકી ને સેટા ભાગે.
    ભોજોભગત કહે ભવ બગાડો.
          સીખામણ સારી નો લાગે
                           એના ઘરમા.
જેને પોતાનું આપ ન સુજે
એ પત્થરા પુંજે
વિશેષ તો ઘણું લખાઇ પણ સિખામણ તો એક જ અક્ષરની લાગી જાય તો પણ બેડો પાર થઇ જાય.
                   જય ગુરુ મહારાજ
Share on Google Plus

About Unknown

Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat, vel illum dolore eu feugiat nulla facilisis at vero eros et accumsan et iusto odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis.

0 comments:

Post a Comment